થોડાક શબ્દો ઉચ્ચારવાથી
અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે
અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી
ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!

સંતાનને સારા સંસ્કાર આપવા
ગમે તેટલા પ્રયાસ કરો ..
આખરે તો એ મા- બાપનેજ અનુસરશે !

પ્રશ્નો તો રહેવાના જ .
સુખી લોકોને પ્રશ્ન થાય કે
શું કરીએ તો ભૂખ લાગે,
અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે
ભૂખ તો લાગે છે, પણ શું કરીએ !

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે .
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે
તેમજુર એકી સાથે ખરીદી ના શકે !
અને જે ખરીદી શકે છે,
તે શેઠ તેને ઊપાડી ના શકે !

જીવનમાં
ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો
આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક
ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં
આખી જિંદગી વીતી જાય છે !

દરેક માણસ પાસે એક
એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !

અને છેલ્લે ….

શ્વાસ ખુટી જાય અને
ઈચ્છાઓ બાકી રહી જાય,
તે મોત !
ઈચ્છાઓ ખુટી જાય
અને શ્વાસ બાકી રહે,
તે મોક્ષ !

TopJokes.in